
Anmol Bishnoi Case : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ હેઠળ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-303 લાગુ કરવામાં આવી છે. આ કલમ અંતર્ગત હવે આગામી એક વર્ષ સુધી દેશના કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈની કસ્ટડી લઈ શકશે નહીં.
માત્ર તિહાડ જેલમાં પૂછપરછ
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, જો કોઈપણ પોલીસ કે એજન્સીને અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરવી હોય, તો તે માત્ર દિલ્હીની તિહાડ જેલમાં જઈને કરી શકશે.










