
PM Modi In Manipur : મણિપુરમાં મે, 2023થી હિંસા ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત રાજ્યના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે શનિવારે (13 સપ્ટેમ્બર) મણિપુરના ચુરાચાંદપુર અને ઈમ્ફાલ પહોંચ્યા છે. વડાપ્રધાને હજારો કરોડની પરિયોજનાઓને લીલી ઝંડી આપી. આ દરમિયાન પીએમ મોદીએ મણિપુરની જનતાનો ઘણાં વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, ‘હું અહીંની જનતાને સેલ્યુટ કરુ છું, એમના સાહસની કદર કરુ છું. હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો..










