![]()
વડોદરા : કરોડોના એર ટિકીટ કૌભાંડમાં સંડોવાયેલા પુનાના ટ્રાવેલ એજન્ટે
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.જે ૬૫ મુસાફરો
દુબઈ અને વિયેતનામ જવા ઈચ્છતા હાત તેઓ એરપોર્ટ પર ગયા ત્યારે તેમની જાણ થઇ હતી કે, તેમને
નકલી ટિકીટ આપવામાં આવી છે.
ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા કવિતાબેન રાચ્છે સાઇબર ક્રાઇમ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, દુબઈ અને વિયેતનામના પ્રવાસીઓ માટે પુનાની
ટ્રાવેલ્સ એજન્સી પાસે બુકીંગ કરાવવામાં આવ્યું હતું અને તે પેટે તેનં રૃા.૧,૯૫,૦૦,૦૦૦ ચૂકવવામાં આવ્યા
હતા. નાણઆં ચૂકવવામાં આવ્યા બાદ તેમને મુસાફરીની ટિકિટો અને વિઝાની નકલો આપી
દેવામાં આવી હતી.
પેસેન્જર જ્યારે એરપોટ પર ગયા ત્યારે તમામ ચિકીટ નકલી હોવાની
જાણ થઇ હતી. પોલીસે આ બનાવમાં શૈલેષ શરણપ્પા બિડવે (રહે.પુના)ની ધરપકડ કરી હતી.
હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાંસરકાર તરફે રજૂઆત
કરવામાં આવી હતી કે, આરોપી
સામે કર્ણાટકના બેલગાવી અને બેંગલોરમાં અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા
છે.અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું રચીને નિર્દોષ લોકોના નાણાં હડપ કર્યા છે. જો
આવા રીઢા ગુનેગારને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે.










