![]()
અમદાવાદ,સોમવાર,3
નવેમ્બર,2025
જૂલાઈ-૧૯૫૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં
આવ્યુ હતુ.૭૫ વર્ષના ઈતિહાસમાં કોર્પોરેશનમાં સાત વખત અલગ અલગ કારણસર વહીવટદારની
નિમણૂંક કરવી પડી હતી.વર્ષ-૧૯૯૨માં બાબરી ધ્વંશની ઘટના બનતા જયાં એક તરફ કોર્પોરેશનની ચૂંટણી એક વર્ષ માટે
સ્થગિત કરાઈ હતી.તો બીજી તરફ કોર્પોરેશનમાં અલગ અલગ ત્રણ આઈ.એ.એસ. અધિકારીઓએ
વહીવટદાર તરીકે શાસન સંભાળ્યુ હતુ.વર્ષ-૨૦૦૦માં ત્રણ મહીના માટે પૂર્વ આઈ.એ.એસ.
પી.કે.લહેરી કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે નિમાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવા અગાઉ હવે
ત્રણ મહીનાનો સમય બાકી છે. આ સમયે એ પણ જાણવુ રસપ્રદ થઈ પડશે કે મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન
અસ્તિત્વમા આવ્યુ અ પછી કોર્પોરેશનમાં વર્ષ-૧૯૭૪થી ૧૯૭૬ સુધીના સમયમાં ત્રણ અલગ
અલગ અધિકારીઓએ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સમય કટોકટી લાદવામા આવી એ
સમયનો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.જે પછી ડીસેમ્બર-૧૯૯૨માં એ સમયની ટર્મ પુરી થવાની હતી.તે સમયે ૬
ડિસેમ્બર-૧૯૯૨ના રોજ બાબરી ધ્વંશની ઘટના બનતા
ડિસેમ્બર-૧૯૯૨થી ૨૪ જાન્યુઆરી-૧૯૯૩ સુધી ચૂંટણી સ્થગિત કરાઈ હતી. આ સમયે
વર્ષ-૧૯૯૩થી વર્ષ-૧૯૯૫ સુધીના સમયમાં ત્રણ વહીવટદારોની નિમણૂંક કરાઈ હતી.આમ તો
વર્ષ-૧૯૯૨ની ટર્મ પુરી થયા પછી ભાજપ તરફથી શહેરના અલગ અલગ વોર્ડ દીઠ કયા કયા
ઉમેદવારોને ચૂંટણી જંગમા ઉતારવા એનો પણ નિર્ણય લેવાઈ ગયો હતો. પરંતુ ટિકીટ
વહેંચણીને લઈને ભાજપમાં જ આંતરીક અસંતોષ સામે આવતા બાબરી ધ્વંશનુ કારણ આગળ કરી
ચૂંટણી સ્થગિત કરાઈ હોવાનુ ભાજપના પૂર્વ કોર્પોરેટરોમાંથી જાણવા મળ્યુ છે.
વર્ષ-૨૦૦૦માં કોંગ્રેસના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોર્પોરેશનમા વહેલી
ચૂંટણી કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમા રીટ પીટીશન કરતા ટૂંકા ગાળા માટે
કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી હતી.વહીવટદારના શાસનમાં
કોર્પોરેશનના તમામ વિભાગ શિસ્તબધ્ધ રીતે કામ કરતા હતા.
કોર્પોરેશનમાં કયારે-કયા વહીવદાર નિમાયા
નામ સમય
એસ.કે.ગંગોપાધ્યાય ૧૧-૩-૭૪થી
૧-૯-૭૪
ચં.ચી.ડોકટર ૨-૯-૭૪થી
૨૧-૯-૭૫
આર.કે.અંકલેશ્વરીયા ૨૨-૯-૭૫થી
૯-૧-૭૬
કે.વી.ભાનુજન ૧-૧૧-૯૩થી
૨૫-૯-૯૪
જી.સુબ્બારાવ ૨૬-૯-૯૪થી
૩૧-૧૦-૯૪
પી.કે.ઘોષ ૧-૧૧-૯૪થી
૩૦-૬-૯૫
પી.કે.લહેરી ૧-૭-૨૦૦૦થી
૧૫-૧૦-૨૦૦૦
વર્ષ-૨૦૧૫ની ચૂંટણીમાં કોર્પોરેશનમાં ૫૦ ટકા મહીલા અનામતનો
અમલ શરુ કરાયો
નવેમ્બર-૨૦૧૫માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણીમાં નવા સીમાંકન પછી કોર્પોરેશન હદમાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો
હતો.મહીલાઓ માટે ૩૩ ટકાના બદલે ૫૦ ટકા બેઠક અનામત રાખવાના નિયમનો અમલ શરુ કરાયો
હતો. વોર્ડ દીઠ ત્રણના બદલે ચાર કોર્પોરેટરના ફોર્મેટનો અમલ પણ આ વર્ષથી શરુ થયો
હતો. ૧૯૨ બેઠકમાં મહીલાઓ માટે ૯૬,
શિડયુલ કાસ્ટ માટે ૨૦,
શિડયુલ ટ્રાઈબ માટે ૨ તથા ઓ.બી.સી.માટે ૧૯ મળી કુલ ૧૧૭ બેઠક અનામત હતી.સામાન્ય
ઉમેદવાર માટે ૭૫ બેઠક હતી.










