
Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું. રૂપાણી તેમની પત્ની અને પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેઓ ગુરુવારે ક્રેશ થયેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં મુસાફરી કરી રહ્યા હતા. ભૂતકાળમાં ભારતમાં આવી કેટલીક વિમાન દુર્ઘટના બની છે, જેમાં જાણીતા નેતાઓએ જીવ ગુમાવ્યા છે.










