Anganwadi Worker Protest: ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 ઓગસ્ત 2025ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે.
ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી નોટીસ મુજબ તારીખ 04 ઓગસ્ટ 2025ના રોજ સોમવાર, બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. આ નિર્ણય તારીખ 12-13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.
મુખ્ય માંગણીઓમાં નીચેના મુખ્ય પ્રશ્નો અંગે સરકાર સમક્ષ દબાણ બનાવવામાં આવશે.
આંગણવાડી કર્મચારી બહેનોની મુખ્ય માંગણીઓ
1. B.L.O. કામગીરીમાંથી મુક્તિ: બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી.
2. MMY સ્ટોક માટે મહેનતાનુયુક્ત વળતર: છેલ્લા ચાર વર્ષથી પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર આપવું.
3. FRS સમસ્યાઓનું નિવારણ: ફીલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં પડતી તકલીફો દૂર કરવા તંત્રની દખલદારી.
4. અદાલતી ચુકાદાનો અમલ: ગુજરાત તળી અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં.
5. સ્માર્ટ મોબાઈલની સુવિધા: કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત.
6. સીધી ભરતી: યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમરલિખિત વિના સીધી ભરતી.
7. વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી: રજા દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી.
8. નારાજ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ: સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરવી.