gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા’, ખડગેએ સરકારને ઘેરી | parliament m…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
‘પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા’, ખડગેએ સરકારને ઘેરી | parliament m…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Monsoon Session 2025: આજે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું, પરંતુ સત્ર શરૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.’

‘પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકવાદીઓ અત્યાર સુધી પકડાયા નથી’ : ખડગે

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મેં 267 હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે. તેમના જ LG એ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહ્યું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે 24 વાર કહ્યું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે.  

मैंने पहलगाम आतंकी हमले और ‘ऑपरेशन सिंदूर’ के बाद की स्थिति पर नियमों के मुताबिक सदन में नोटिस दिया है।

पहलगाम आतंकी हमला 22 अप्रैल को हुआ था और उसे अंजाम देने वाले आतंकी आज तक न पकड़े गए और न मारे गए।

हमने देश में एकता रखने के लिए और सेना को मजबूती देने के लिए सरकार को बिना… pic.twitter.com/QNXanQWPep

— Congress (@INCIndia) July 21, 2025

ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે આઝાદી પછી ક્યારેય બન્યું નથી : નડ્ડા

વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની માંગ પર, ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે એવો સંદેશ ન જવો જોઈએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માંગતી નથી. સરકાર તેની ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે બન્યું તે આઝાદી પછી દેશમાં કોઈપણ ઓપરેશન દરમિયાન ક્યારેય બન્યું ન હતું.

પીએમ મોદીનું સંસદ બહાર સંબોધન 

કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થઈ ગયું છે અને હવે 19 ઓગસ્ટ સુધી ચાલશે. અગાઉ ચોમાસું સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ બહાર પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે વરસાદ દરેક પરિવારના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનાથી લાભ થશે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યનું સામર્થ્ય જોયું. 

'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા', ખડગેએ સરકારને ઘેરી 2 - image

ઓપરેશન સિંદૂર બાબતે પીએમ મોદીએ કહ્યું કે…

પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનીટમાં ઠાર કર્યા. અમે 100% લક્ષ્ય હાંસલ કર્યું. ભારતની લશ્કરી શક્તિએ બતાવ્યું છે કે તે કેટલી ઝડપથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં બનેલી લશ્કરી શક્તિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.’ 

વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે

તેમજ આ વખતે સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતાઓ પણ છે. વિપક્ષે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર ના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર, વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે. 

સરકાર યોગ્ય જવાબ આપશે: કિરેન રિજિજુ

ઈન્ડિયા અલાયન્સે આગ્રહ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ આ બાબતે તેમજ પાકિસ્તાન સાથેના અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર (SIR) પર જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં આ મુદ્દાઓ પર વડા પ્રધાન પોતે જવાબ આપે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.

મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં આ બિલો રજૂ કરે અને પસાર કરે તેવી અપેક્ષા છે

– મણિપુર GST (સુધારા) બિલ, 2025

– જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2025

– ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025

– કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025

– ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2025

– ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025

– રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025

– રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ, દિગ્ગજ સાંસદની ધરપકડ, જગન રેડ્ડી પણ રડારમાં

આ બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે

– ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2024

– વેપારી શિપિંગ બિલ, 2024

– ભારતીય બંદરો બિલ, 2025

– આવક વેરા બિલ, 2025.


'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા', ખડગેએ સરકારને ઘેરી 3 - image





G METRO NEWS

G METRO NEWS

Related Posts

જગદીપ ધનખડના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? જાણો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા | Who Will Be…
INDIA

જગદીપ ધનખડના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? જાણો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા | Who Will Be…

July 21, 2025
જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ… જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha…
INDIA

જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ… જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha…

July 21, 2025
જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું | Vice President Jagdeep Dhankar R…
INDIA

જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું | Vice President Jagdeep Dhankar R…

July 21, 2025
Next Post
‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ | svamitva…

‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ | svamitva...

ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હ…

ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હ...

જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…

જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

2 months ago
શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

1 week ago
બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

1 week ago
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

2 months ago
શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

1 week ago
બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

1 week ago
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News