Immigration Bill Passed in Lok Sabha: લોકસભામાં ગુરૂવારે ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (27 માર્ચ) જણાવ્યું હતું કે, ‘સરકાર પ્રવાસીઓ તરીકે અથવા શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય માટે ભારત આવવા માગતા લોકોને આવકારવા તૈયાર છે, પરંતુ જેઓ ખતરો ઉભો કરે છે તેમની સાથે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે.’
‘દેશ કોઈ ધર્મશાળા નથી’
અમિત શાહે કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત એવા લોકોને ભારત આવતા અટકાવશે જેમના ઇરાદા ખોટા છે. દેશ કોઈ ધર્મશાળા નથી.