– બે દિવસમાં એર ઇન્ડિયાના ત્રીજા પ્લેન સાથે દુર્ઘટના બની
– સદનસીબે બધા પ્રવાસીઓ અને ક્રૂ ઉતરી ગયા પછી ઓક્ઝિલરી યુનિટમાં આગ લાગી
નવી દિલ્હી : એર ઇન્ડિયા એ-૩૨૧ પ્લેન દિલ્હી એરપોર્ટ પર મંગળવારે બપોરે ઉતર્યા પછી તેના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. જો કે આ પ્લેનના પેસેન્જર અને ક્રૂ બધા જ સલામત છે.
એરક્રાફ્ટને તરત જ ભૂમિગત કરી દેવાયું છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાની ચકાસણી કરી રહ્યુ હોવાનું સૂત્રએ જણાવ્યું છે.