
– રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાની અસર
– મારે બે જ સંતાનો હતા, બંને જતા રહ્યા, હવે આંગણું સુનુ થઈ ગયું, ભગવાને મને જ ઉઠાવી લીધી હોત : માતાનું આક્રંદ
– સ્કૂલના રિપેરિંગ માટે ગામવાસીઓએ ફરિયાદ કરતા શિક્ષકો-અધિકારીઓએ દરેક પરિવાર પાસે રૂ. 200-200 માગ્યા હતા
નવી દિલ્હી : રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં બાળકો માટે સુરક્ષા અને સુવિધાઓનું ફરજિયાત ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યા છે.










