
PM Modi Spoke to Senior General Min Aung Hlaing: મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મ્યાનમારના જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનું આશ્વાસન આપ્યું હતું.










