![]()
Rahul Gandhi Vote Adhikar Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (17 ઓગસ્ટ)ના રોજ બિહારના સાસારામથી તેમની 16 દિવસની અને લગભગ 1,300 કિલોમીટર લાંબી ‘મતદાર અધિકાર યાત્રા’ શરૂ કરી રહ્યા છે. આ યાત્રાને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક દ્વારા આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ‘એક વ્યક્તિ, એક મત’ ના સિદ્ધાંતના રક્ષણ માટે એક મુખ્ય અભિયાન તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. યાત્રા પહેલી સપ્ટેમ્બરે પટનામાં એક મેગા રેલી સાથે સમાપ્ત થશે.
કોંગ્રેસ અને આરજેડી નેતાઓ યાત્રામાં લેશે ભાગ
કોંગ્રેસ સાંસદો યાત્રા શરૂ કરવા માટે દિલ્હીથી સાસારામ જવા રવાના થયા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ તેમાં જોડાશે. આ યાત્રા દ્વારા, વિપક્ષ ‘વોટ ચોરી’ના આરોપો પર સરકાર પર સીધા પ્રહાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું
ક્યાંથી પસાર થશે આ યાત્રા?
‘મતદાર અધિકાર યાત્રા’ બિહારના 20 જિલ્લાઓમાંથી પસાર થશે, જેમાં ઔરંગાબાદ, ગયા, નવાદા, નાલંદા, શેખપુરા, લખીસરાય, મુંગેર, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, સીતામઢી, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીવાન, છપરા અને આરા જિવા જિલ્લા સામેલ છે. યાત્રાનું ફોર્મેટ રાહુલ ગાંધીએ આ વર્ષની શરૂઆતમાં થયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની જેમ રાખવામાં આવ્યું છે, જેમાં તે પદયાત્રા અને રોડ ટ્રાવેલ દ્વારા મતદારો સુધી પહોંચશે.
રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ પર આરજેડી નેતાઓએ કેન્દ્ર સરકાર પર કડક વલણ અપનાવ્યું છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, બંધારણનો ખતમ નહીં થવા દઇએ, જનતા જાગૃત છે અને ન્યાયની આશા છે. વળી, તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ બંધારણીય સંસ્થાઓનો દુરૂપયોગ કરે છે અને લોકોનો મતાધિકાર છીનવે છે, તેથી આ લડાઈ જરૂરી છે.
આ પણ વાંચોઃ અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું
મતદાર અધિકાર યાત્રાનું શેડ્યુલ
બિહારમાં SIR માટે 16 દિવસ લાંબી મતદાર અધિકાર યાત્રા સાસારામના સુરા એરપોર્ટ પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ યાત્રા ઔરંગાબાદ પહોંચશે. મહાગઠબંધનના નેતાઓ ઔરંગાબાદના કુટુમ્બામાં રાત્રી રોકાણ કરશે. આ યાત્રા 17 ઓગસ્ટના રોજ રોહતાસના સાસારામથી શરૂ થશે. 18 ઓગસ્ટે દેવ રોડ, અંબા-કુંડુમ્બા, 19 ઓગસ્ટે હનુમાન મંદિર, પૂનમ, વજીરગંજ, 21 ઓગસ્ટે ટીન મોહની દુર્ગા મંદિર, શેખપુરા, 22 ઓગસ્ટે ચંદ્ર બાગ ચોક, મુંગેર, 23 ઓગસ્ટે કુરસેલા ચોક, બરારી, કટિહાર, 24 ઓગસ્ટે ખુશકીબાગ, કટિહારથી પૂર્ણિયા, 26 ઓગસ્ટે હુસૈન ચોક, સુપૌલ, 27 ઓગસ્ટે ગંગવારા મહાવીર સ્થાન, દરભંગા, 28 ઓગસ્ટે રીગા રોડ, સીતામઢી, 29 ઓગસ્ટે હરિવાટિકા ગાંધી ચોક, બેતિયા, 30 ઓગસ્ટે એકમા ચોક, એકમા વિધાનસભા, છાપરા પહોંચશે. 1 સપ્ટેમ્બરે પટનામાં એક વિશાળ રેલી સાથે તેનું સમાપન થશે. આ યાત્રા 20, 25 અને 31 ઓગસ્ટે ખતમ થશે.










