![]()
Vadodara Police : વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરની સૂચનાના આધારે આગામી ગણેશ મહોત્સવ નિમીત્તે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
જે કામે ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમા સ્થાપના માટેના રૂટ તેમજ વિસર્જન રૂટ પર સ્ટાફના પોલીસ માણસો સાથે રૂટ પેટ્રોલીંગ કરી ગણપતિ આગમન તેમજ વિસર્જન અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ભાગરૂપે પોલીસ સ્ટેશનના ગીચ વિસ્તારોમાં તેમજ છેવાડાની સોસાયટીઓમાં જઈને સ્થાનિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે તેમના પ્રશ્નો જાણી અને તે બાબતે યોગ્ય તકેદારી રાખવા બાબતે જણાવવામાં આવ્યું હતું.










