Image Source:groke.ai
Patna: બિહારમાં પટનાના મનેરમાં10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજ આરોપીને જલદી પકડવાની માગ કરી હતી. જો કે પોલીસે મોડી રાત્રે જ આરોપી 48 વર્ષીય ભોલા રાયની ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી બગીચાનો ગાર્ડનર છે.
શહેરના એસપી ભાનુ પ્રતાપ સિંહએ જણાવ્યુ કે, ‘બાળકીને લઈને આરોપી ભોલા રાયનું વર્તન પહેલાથી શંકાસ્પદ જ હતું. ઘટનાના એક દિવસ પહેલા ભોલા રાયે બાળકીને જમરૂખ આપવાના લાલચે છેડતી કરી હતી. આ પૂર્ણ ઘટના બગીચામાં લગાવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગયા હતા. બીજા દિવસે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી તેના શબને જમરૂખના ઝાડ પર લટકાવી દીધો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીને શોધવા એક વિશેષ ટીમ તૈયાર કરી હતી.
શહેરમાં લોકોનો આક્રોશ
પોલીસે નરાધમની ધરપકડ તો કરી લીધી છે, અને હવે આ કેસ માટે આગળની કાર્યવાહી કરી રહી છે, ત્યારે રોષે ભરાયેલા લોકોએ શહેરમાં મનેર પોલીસ સ્ટેશન, આઝાદ નગર, મનેર ચર્ચ પાસે પ્રદર્શન કરી રસ્તો જામ કર્યો છે. લોકોએ ટાયર સળગાવી, આંગ ચાંપી રસ્તા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની માગ છે કે આરોપી ભોલા રાયને ગામવાસીઓને સોપી દો, ગાંમના લોકો જ ન્યાય અપાવશે અથવા તેને ફાંસી આપો. જોકે શહેરના એસપીએ આક્રોશિત લોકોને સમજાવ્યા અને રસ્તાના ચક્કાજામની સમસ્યા ઉકેલી.
આ પણ વાંચો : ‘ભારત કોઈને શત્રુ નથી માનતો…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
કેવી રીતે બાળકી ગુમ થઈ હતી
25 ઓગસ્ટના રોજ બાળકી લાકડાં લેવા ગઈ ત્યારે આરોપીએ તેને ખારી નાસ્તો ખવડાવ્યો અને ઠંડુ પીણું પણ આપ્યું. માસૂમ બાળકી આરોપીનો ઇરાદો સમજી ન શકી. 26 ઓગસ્ટે તે બગીચામાં લાકડા લેવા બપોરે 1 વાગ્યે ઘરની બહાર ગઈ અને ગાર્ડનમાંથી લાકડાંનો એક બંડલ લઈને આવી હતી અને બાળકીએ તેના દાદીને હજી લાકડા લઈ આવવા જઇ રહી છે એવું કહી ઘણા સમય સુધી પાછી આવી જ નહીં. તેની દાદી અને ગામના અન્ય લોકોએ પણ બાળકીને શોધવા અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તેની કોઈ માહિતી મળી નહીં. 28 ઓગસ્ટે સવારે બાળકીનો શબ મળ્યો હતો.