અમદાવાદ,રવિવાર
શહેરના નારણપુરામાં રહેતા ૭૩ વર્ષીય વ્યક્તિને એક ઇનામી ડ્રોમાં સોના-ચાંદીના સિક્કા લાગ્યા હતા. જેથી તે અંગે ફોન ન આવતા ગુગલ પરથી ફોન નંબર શોધીને કોલ કર્યો હતો. જેમાં કોલ રીસીવ કરનારે સોનાના બિસ્કીટના બદલામાં રોકડ આપવાનું કહીને પીટીએમ એપ્લીકેશનમાં પ્રોસેસ કરાવીને નાણાં પડાવી લીધા હતા. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નારણપુરા ટેલીફોન એક્સચેંજ પાસે આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૩ વર્ષીય મહેશભાઇ જોષીને થોડા દિવસ પહેલા એક ઇનામી ડ્રોમાં સોના-ચાંદીના સિક્કા જીત્યાની જાણ થઇ હતી.










