
અમદાવાદ,મંગળવાર, 2 સપ્ટેમબર, 2025
આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂનાં ૬૯૧ કેસ
નોંધાયા છે. નદીપાર આવેલા પાલડી,
નવરંગપુરા, નારણપુરા
અને રાણીપ સહીતના વોર્ડમાં ડેન્ગ્યૂના ૧૧૫ કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં
મેલેરિયાના ૭૧ કેસ નોંધાયા છે. પૂર્વ
ઝોનમાં ડેન્ગ્યૂના ૨૧૩ કેસ આ સમયમાં નોંધાયા છે. મોટી રકમનો ખર્ચે ફોગીંગ કરવા
પાછળ કરાય છે. છતાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસ વધી રહયા છે.
આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં શહેરમાં ૩૪ ઈંચ વરસાદ
વરસી ગયો છે. બીજી તરફ મચ્છરજન્ય
રોગચાળાને નિયંત્રણમાં લેવા કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી કરવામા આવતા દાવા પોકળ
પુરવાર થઈ રહયા છે.હેલ્થ વિભાગ તરફથી વિવિધ મોલ,બાંધકામ સાઈટ સહીત અન્ય સંકુલોમાં મચ્છરના બ્રિડીંગ મામલે
તપાસ કરાઈ રહી હોવાનુ કહેવાય છે.આમ છતાં કયા કારણથી મચ્છરજન્ય રોગના કેસ વધી રહયા
છે તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.પાલડી અને નવરંગપુરામાં ૨૪-૨૪ જયારે ગોતામાં ૨૮
કેસ નોંધાયા હતા. ચાંદલોડીયામાં ૧૯,
સરખેજમાં ૨૧ તથા જોધપુરમાં ૧૭ અને રાણીપમાં ડેન્ગ્યૂના ૧૭ કેસ અત્યારસુધીમાં
નોંધાયા છે.
ડેન્ગ્યૂના ઝોન મુજબ કયાં કેટલાં કેસ
ઝોન કેસ
મધ્ય ૫૮
પશ્ચિમ ૧૧૫
ઉત્તર ૧૨૪
પૂર્વ ૧૪૧
દક્ષિણ ૧૧૭
ઉ.પ. ૭૯
દ.પ. ૫૭










