Rajkot News: સૌરાષ્ટ્રમાં ગણેશ વિસર્જનના દિવસે જુદા-જુદા કારણોસર વરસાદી જળરાશિ જીવલેણ બની હતી. મોરબી, લોધિકા અને ઉપલેટા નજીક અલગ-અલગ ચાર ઘટનામાં પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં વૃધ્ધ સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો લાપત્તા બનતા મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રહી હતી. આ સાથે એક વ્યકિતનો બચાવ થયો હતો. વળી, નાગવદર નજીક પુલ પરથી ધસમસતા પાણીમાંથી પસાર જતાં બોલેરો કાર તણાઈ હતી.