
Supreme Court: સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં શિક્ષણ સંઘે લાંબી લડાઇ માટે તૈયારી કરી લીધી છે. શિક્ષકોને રાહત અપાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક સંઘ માગ કરશે કે જે શરતો પર નિમણૂક થવાની હતી તેના પર તેમની નોકરી યથાવત રહેવી જોઇએ અને તેના પર તેમણે બઢતી મળવી જોઇએ.
જો નિમણૂકના સમયે TET જરુરી ન હતુ તો હવે તેને ફરજિયાત ન કરી શકાય. જોકે સરકાર પર રાહત આપવાનુ પ્રેશર બનાવવાની સાથોસાથ શિક્ષક સંઘે કાયદાકીય વિકલ્પ પણ શોધવાની શરુઆત કરી દીધી છે અને વકીલોથી વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.










