![]()
વડોદરા,માંજલપુર વિસ્તારમાં બે દિવસ પહેલા ગૂમ થયેલા માનસિક બીમાર યુવકને પરિવાર બે દિવસથી શોધી રહ્યો હતો. આજે યુવકની લાશ આજે માંજલપુર તળાવમાંથી મળી આવી છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો યુવક તેના પિતાને કામકાજમાં મદદ કરતો હતો. યુવકની માનસિક બીમારીની દવા ચાલતી હતી. તેના ઘરે ગણપતિની જૂની મૂર્તિ ખંડિત હાલતમાં હતી. તે મૂર્તિ વિસર્જિત કરવા માટે પિતાને કહીને તે બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેની કોઇ ભાળ મળી નહતી. પરિવારે શોધખોળ કર્યા છતાંય તેનો પતો નહી ંલાગતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની અરજી પણ આપી હતી. યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની શંકાના પગલે ફાયરબ્રિગેડના સ્ટાફે ગઇકાલે શોધખોળ કરી હતી. પરંતુ, કોઇ બોડી મળી નહતી. આજે માંજલપુર શ્રેયસ સ્કૂલ નજીકના તળાવ પાસેથી યુવકના ચપ્પલ અને મોપેડ મળી આવતા પરિવારે ફાયરબ્રિગેડને જાણ કરતા સ્ટાફે આવી તળાવમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.










