![]()
આગામી દશેરા ,દિવાળી અને છઠ્ઠ પૂજા દરમ્યાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ – બનારસ એસી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 16 ફેરા તથા વડોદરા – ગોરખપુર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 20 ફેરા રહેશે.
મુંબઈ સેન્ટ્રલ – બનારસ ટ્રેન દર બુધવારે રાત્રે 11:10 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને શુક્રવારે સવારે 10:30 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બર થી 5 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બનારસ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે બનારસથી બપોરે 2:30 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 4:20 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 19 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ ,સુરત ,વડોદરા, રાયબરેલી, અમેઠી, ભદોહી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. જ્યારે વડોદરા – ગોરખપુર ટ્રેન દર શનિવારે સાંજે 7 કલાકે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર થી 29 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ગોરખપુર – વડોદરા સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ગોરખપુરથી સવારે 5 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 29 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો ગોધરા, રતલામ ,ગંગાપુર ,કાનપુર ,બાદશાહ નગર, બારાબંકી ,બસ્તી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ઉપરાંત ઓખા -શકુર બસ્તી વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 20 ફેરા રહેશે.










