
– પહેલગામમાં આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર પછી બોયકોટ એશિયા કપ અભિયાન વચ્ચે
– આપણા સૈનિકો જીવની આહુતિ આપે છે ત્યારે ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ગૌરવ-જનભાવના વિરુદ્ધ
નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના વિરોધમાં ભારતે પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધો કાપી નાંખ્યા છે. વડાપ્રધાન મોદીએ ‘લોહી અને પાણી’ સાથે ના ચાલી શકે તેમ કહેતા સિંધુ જળ સંધી પણ રદ કરી દીધી હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં ક્રિકેટ મેચ રમાવાની છે ત્યારે આ મેચને રોકવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીની તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે, મેચ ભલે થવા દો, તેમાં ઉતાવળ શું છે?
પહલગામ આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં આવેલા આતંકી સ્થળો અને પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો હતો.










