કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી
પોરબંદર તા.૨૬ :કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં મંત્રીશ્રીએ પ્રશ્નો અને સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રીએ ખાસ કરીને પોરબંદર શહેરના ચુના ભઠા વિસ્તારમાં આવેલી જૂની રેલવે લાઇનનું નિરીક્ષણ કરીને તેના પુનઃઉપયોગ, પુનઃવિકાસ તથા આસપાસના વિસ્તારોમાં જનહિતના કાર્યો કેવી રીતે હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી માહિતી મેળવી હતી.
સાથે જ સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ હેઠળના જેટીના કાર્ય નિરીક્ષણ કરીને તટીય વિસ્તારોના માછીમારોને સુવિધા મળે તે દૃષ્ટિએ આગામી સમયમાં વિકાસ કાર્યો હાથ ધરવા અંગે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, , જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઇ મોદી, ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઇ શિયાળ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા જનસામાન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.