
Rajnathsinh in Bhuj: રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.
ભુજમાં સૈનિકો સાથે ભોજન
રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ ‘બુરાઈ પર અચ્છાઈ’, ‘અધર્મ પર ધર્મ’, અને ‘અસત્ય પર સત્ય’ની જીતનો પ્રતીક છે.










