Railway News: આગામી દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુરત રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રી-ડેવલપમેન્ટના કામને કારણે અસ્થાયી રૂપે રદ કરવામાં આવેલા કુલ 62 ટ્રેનોના સ્ટોપ તાત્કાલિક અસરથી 10 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
ભીડ નિયંત્રિત કરવા લેવાયો નિર્ણય
રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉધના સ્ટેશન પર તહેવારોની વિશેષ ટ્રેનોની અવર-જવર વધવાથી મુસાફરોની ભીડ વધવાની સંભાવના છે. આ ભીડને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સુરત સ્ટેશન પર સ્ટોપ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા આગળ નવી સૂચના ન મળે ત્યાં સુધી શરૂ રહેશે.
સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ આપવામાં આવેલી અપ ટ્રેન


આ પણ વાંચોઃ પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર
સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ કરાયેલી ડાઉન (DOWN) ટ્રેન

ઉધનાના બદલે સુરત સ્ટેશનથી સંચાલિત થનારી ટ્રેનો
ઉધના સ્ટેશન પરનો ભાર ઘટાડવા માટે કુલ 12 ટ્રેનોના ઓરિજિનેશન (શરૂઆત) અને ટર્મિનેશન (સમાપ્તિ) સ્ટેશનોને પણ ઉધનાના બદલે સુરત સ્ટેશન કરવામાં આવ્યા છે:
સુરત સ્ટેશનથી શરૂ થનારી ટ્રેનો:

સુરત સ્ટેશન પર સમાપ્ત થનારી ટ્રેનો:











