![]()
Israel Fire In Gaza : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું હોવા છતાં ઈઝરાયલી સેનાએ મંગળવારે ઉત્તરી ગાઝામાં ગોળીબાર કર્યો છે, જેમાં ગાઝાના આરોગ્ય અધિકારીઓ જણાવ્યા મુજબ, બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા છ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે.
ઈઝરાયલી સેનાએ ઘટના અંગે શું કહ્યું?
ઈઝરાયલી સેનાએ ઘટના અંગે કહ્યું છે કે, કેટલાક શંકાસ્પદ લોકો સુરક્ષા દળો પાસે આવી રહ્યા હતા, તેથી તેમણે બચાવમાં ગોળીબાર કર્યો છે. સેનાએ કહ્યું કે આ લોકો પીળી રેખા પાર કરીને ઈઝરાયલી સૈનિકો પાસે પહોંચ્યા હતા, જે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે. સેનાએ એક્સ પર લખ્યું છે કે, ‘આજે (મંગળવાર) કેટલાક શંકાસ્પદ લોકો પીળી રેખા પાર કરીને આઈડીએફના સૈનિકો પાસે પહોંચ્યા હતા, જે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે. અમે શંકાસ્પદોને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓએ અમારી વાત માની ન અને અમારી નજીક આવી રહ્યા હતા, તેથી ખતરાને દૂર કરવા માટે અમે તેમના પર ગોળીબાર કર્યો હતો. ગાઝાના રહેવાસીઓ નિર્દેશોનું પાલન કરે અને ક્ષેત્રમાં તહેનાક સૈનિકો નજીક ન પહોંચે.’
⭕️ Earlier today, several suspects were spotted crossing the yellow line and approaching IDF troops in northern Gaza, a clear violation of the agreement.
After multiple attempts to distance them, the suspects refused to comply, prompting troops to open fire to remove the threat.…
— Israel Defense Forces (@IDF) October 14, 2025
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના
યુદ્ધવિરામ હેઠળ બંધકોની અદલાબદલીના એક દિવસ બાદ ગાઝામાં ગોળીબાર
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવી દીધું છે. આ કરાર હેઠળ હમાસે 20 ઈઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે, જ્યારે ઈઝરાયલે 154 પેલેસ્ટાઈની કેદીઓને મુક્ત કર્યા છે. આ ઘટનાના એક દિવસ બાદ ઈઝરાયલી સેનાએ ગાઝામાં ગોળીબાર કર્યો છે. ઈઝરાયલ પાસે કુલ 1900થી વધુ પેલેસ્ટાઈનીઓ કેદ છે, જેમાંથી 154ને મુક્ત કર્યા છે. એક અધિકારીએ કહ્યું કે, યુદ્ધવિરામના કરાર મુજબ મુક્ત કરાયેલા કેદીઓને ત્રીજા દેશમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર










