![]()
Ahmedabad News: અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલિમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશનરે અગાઉ સુચના આપી હતી. આમ છતાં માત્ર 180 ફેરીયાઓને હજી સુધી તાલિમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા. તેમણે કહ્યું કે,તમારાથી કામ ન થતુ હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ
ડેપ્યુટી કમિશનરોને ઠપકો
આ સિવાય મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનરોને પણ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમારી પાસે આવતી ફાઇલ જોવાની ટેવ પાડો. ટપાલીની જેમ સહી કરીને રવાના ન કરો.
વિગત ન મળતા કમિશનર રોષે ભરાયા
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માંગી હતી. જોકે, આ દરમિયાન તેઓ કમિશનરને વિગત આપી શકયા નહોતા.
આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં ટ્રેનથી મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો! અમદાવાદ-સાબરમતી સ્ટેશન પર આ સુવિધા બંધ
કામ ન કરતા લોકોની યાદી માંગી
નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના તળાવમાં જ સફાઈ સહિતની બાબતનું ધ્યાન અપાતું નહતું. આ બાબત કમિશનરના ધ્યાને આવતા તેમણે કોર્પેરેશનની હદમાં આવેલા કલેક્ટર હસ્તકના તળાવોમાં પણ સફાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, દબાણ ન થાય તેવું ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટસોર્સિંગથી વિવિધ વિભાગમાં રાખવામાં આવતા કર્મચારીઓ પૈકી કેટલા કર્મચારીઓ કામ કર્યા વિના પગાર લઈ રહ્યા છે તેની વિગત આપવા જણાવ્યું હતું.










