
Waqf Bill: બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુંબઈ નજીક થાણે જિલ્લાના ભિવંડીમાં એક સભાને સંબોધિત કરતા સમયે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવાને સનાતન ધર્મ માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ ગણાવી હતી. બાબા બાગેશ્વરે મંચ પરથી કહ્યું હતું કે, ‘દેશનું દુર્ભાગ્ય છે કે સંસદમાં વક્ફ સુધારા બિલની વિરુદ્ધમાં 200 થી વધુ મત પડ્યા, પરંતુ તેમ છતાં, બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે. શાસ્ત્રીએ તેને સનાતન ધર્મને બચાવવા માટે લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું.’
‘બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે’










