
– સ્વદેશી વિમાનવાહક જહાજ પર દિવાળી ઊજવવી મારું સૌભાગ્ય : વડાપ્રધાન
– છેલ્લા 11 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન 1.5 લાખ કરોડને પાર, શિપયાર્ડે 40થી વધુ યુદ્ધજહાજ અને સબમરીને બનાવ્યા : પીએમ
પણજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનો તહેવાર જવાનો સાથે ઊજવવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી હતી. પીએમ મોદીએ વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળી ઊજવી હતી. તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલાં દેશની ત્રણ સેનાઓના અસાધારણ સંકલન, નેવીએ પાકિસ્તાનમાં પેદા કરેલા ભય, એરફોર્સની અસાધારણ કુશળતા અને આર્મીની બહાદુરીએ ઓપરેશન સિંદૂરમાં માત્ર ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું.










