
– હૈદરાબાદથી બેંગલુરુ જતી બસને બાઈક અથડાતા આગ લાગી
– સ્લીપર બસનું સ્ટ્રક્ચર પણ ખામીવાળું હતું, આગ લાગતા ડ્રાઈવર ભાગી છૂટયો, ટ્રાવેલ કંપનીએ અનેક નિયમોનો ભંગ કર્યો હતો
કર્નૂલ : આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં એક બાઈક પ્રવાસી બસ સાથે અથડાયા પછી બસમાં આગ લાગતા ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં શનિવારે ખુલાસો થયો છે કે કાવેરી ટ્રાવેલ્સની બસમાં ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે આગે ટૂંકા સમયમાં એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે, બસમાંથી પ્રવાસીઓને બહાર નીકળવાની કે બચાવવાની તક જ ના મળી અને જોતજોતામાં ૨૦ પ્રવાસી જીવતા ભડથુ થઈ ગયા. પ્રારંભિક તપાસમાં બસે અનેક નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.










