
– બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો નિર્ણય યથાવત
– બેઠકો યોજીને વાતચીતથી શાંતિ સ્થાપિત કરવા પ્રયાસો થતા રહેશે, બન્ને દેશો સંયુક્ત પ્રયાસ કરશે : ચીનનો દાવો
નવી દિલ્હી : ભારત અને ચીન સરહદે વર્ષોથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટે અંતે બન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીન સૈન્યના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લદ્દાખની સરહદી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો બન્ને દેશોએ નિર્ણય લીધો છે.










