![]()
– 2 વર્ષથી મહિલા માનસિક બીમારીથી પીડાતી હતી
– ભાવનગર અને સિહોર ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢયો
સિહોર : સિહોરમાં આવેલા ગૌતમેશ્વર તળાવમાં મહિલા ડૂબી ગઈ હોવાની જાણ થતાની સાથેજ નગર પાલિકા ફાયર બ્રિગેડ અને ભાવનગર ફાયર બ્રિગેડ નો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને તળાવમાં ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિહોર પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃત દેહ ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સિહોરમાં આવેલા ખાડિયા ચોકમાં રહેતા કાજલબેન મનજીભાઈ બારૈયા ( ઉ.વ ૨૨ ) છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને આજે સિહોરમાં આવેલા ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાની જાણ સિહોર નગર પાલીકા ફાયર બ્રિગેડ અને ભાવનગર ફાયર બ્રિગેડને કરતા પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સિહોર પોલીસને સુપ્રત કર્યો હતો.સિહોર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.










