
– સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ ઉઠી
– લીલા તેમજ સુકા ઘાસના ભાવમાં ડબલ થતાં પશુપાલકોની હાલત કફોડી : ગ્રામીણ અર્થતંત્ર ખોરવાયું
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ થી ખેડુતોને થયેલ નુકશાન અંગે તાજેતરમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કમોસમી વરસાદ થી પશુપાલકોને પણ મોટું નુકશાન પહોંચતા હાલત કફોડી બની છે ત્યારે હવે પશુપાલકો માટે પણ સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકોમાં માંગ ઉઠવા પામી છે.
ઓક્ટોબર મહિનામાં દિવાળી બાદ સતત સાત દિવસ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે ખેતરોમાં ઊભી મગફળી, એરંડા ઢળી પડતા પાકને મોટું નુકસાન થયું છે.










