![]()
– બોટાદ ટાઉન પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
– 4 વેપારીને શખ્સે વિશ્વાસમાં લીધા બાદ રોકડ અને સોનુ મેળવી વિશ્વાસઘાત કર્યો
ભાવનગર : બોટાદમાં સોની બજારમા આંગડીયા પેઢી તરીકેનુ કામ કરતા હોય જે સોની બજારમાંથી કાચુ સોનુ લઈ જઈ શુધ્ધ સોનુ કરી આપતા શખ્સે ચાર સોની વેપારીને વિશ્વાસમાં લઈ સોની વેપારી પાસેથી સોનુ અને રોકડ રકમ લઈ વિશ્વાસઘાત કરી રૂ.૩૬.૩૯ લાખની છેતરપિંડી આચરી હતી.
બોટાદના ભાવનગર રોડ સીતારામનગર-૧ ખાતે રહેતા અને જ્વેલરીની દુકાન ધરાવતા કિર્તીભાઇ ઘનશ્યામભાઈ રાછડીયા, વિશાલ ભરતભાઇ રોજાસરા (રહે. બોટાદ એસ.ટી.ડેપોની પાછળ, અમી એપાર્ટ મેન્ટની બાજુમા, સ્વસ્તીક સોસાયટી, તા.જી.બોટાદ) ને છેલ્લા એક વર્ષથી ઓળખતા હોય અને વિશાલ સોની બજારમા આંગડીયા પેઢી તરીકેનુ કામ કરતા હોય જે સોની બજારમાંથી કાચુ સોનુ લઈ જઈ શુધ્ધ સોનુ કરી આપતા હોય અને કમિશન પેટે કામ કરતા હતા. જેથી કિર્તીભાઇ પાસેથી કાચુ સોનુ ૨૩૫ ગ્રામ રૂ.૧૮ લાખ તથા રોકડા રૂ.૧,૮૯,૬૦૦ મળી કુલ રૂ.૧૯,૮૯,૬૦૦ આપ્યા હતા ત્યાર બાદ કિર્તીભાઇએ સોનાની લગડી અંગે વિશાલ પાસે ઉઘરાણી કરી ત્યારે વાયદાઓ કરવા લાગ્યો હતો અને કિર્તીભાઇ રૂપિયા અને સોનુ પરત નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. તદુપરાંત વિશાલે વિપુલભાઈ ગુણવંતરાય વિરજાએ ૮.૫૦૦ કિલોગ્રામ ચાંદી તથા શુધ્ધ ચાંદીના ચોરસા નંગ ૦૪ જે બંનેની આશરે કિંમત રૂ.૬,૫૦,૦૦૦ તથા સમીરભાઈ હુસેનભાઈ સરકાર પાસેથી કાચુ સોનુ ૫૫.૩૭૦ ગ્રામ રૂ.૫,૦૦,૦૦૦ તથા જોહરઉદિનભાઈ હુસેનભાઈ સરકાર પાસેથી ૨૪ કેરેટ શુધ્ધ સોનુ ૪૯,૯૯૦ રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩૬,૩૯,૬૦૦ની છેતરપીંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે કિર્તીભાઈએ વિશાલ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










