
– દેશમાં રામ મંદિરની સ્થાપનાના 500 વર્ષના યજ્ઞાની આખરે પૂર્ણાહૂતિ : મોદી
– રામચરિત માનસની પંક્તિ ‘નહીં દરિદ્ર, કાઉ દુખી ના દિના’ ટાંકતા મોદીએ કહ્યું વિકસિત ભારતમાં કોઈ દુઃખી, દરિદ્ર નહીં હોય
– દેશમાં રામ મંદિરની સ્થાપના સરળ પરંતુ મેકોલેની ગુલામીની માનસિક્તામાંથી ભારતને છોડાવવો મુશ્કેલ
– ભગવાન રામ ભેદથી નહીં ભાવથી જોડાય છે, ૧૧ વર્ષમાં મહિલા, દલિતો, પછાતો, વંચિતોના વિકાસ પર ધ્યાન અપાયું : પીએમ
અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૧.૫૫ કલાકના અભિજિત મૂહુર્તમાં ભવ્ય રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી.










