
– રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં ભારતના મહત્વકાંક્ષી ધ્યેયનું સ્વાગત
– અશ્મિભૂત બળતણોના વપરાશને અટકાવવાનું કામ બજારના પરિબળો પર છોડવામાં મોટું જોખમ રહેલું છે
Climate Change News : માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે સર્જાનારી કટોકટી ભારત સહિતના વિક્સિત દેશોના ગરીબોને સૌથી વધારે અસર કરશે તેમ અશ્મિભૂત બળતણ પ્રસારણ નિવારણ સંધિના ડાયરેકટર એલેક્સ રાફાલોવિચે જણાવ્યું હતું. તેમણે વધતાં જતાં તાપમાનને કારણે જે લોકો પર સૌથી વધારે અસર થાય છે તેમની પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુક્યો હતો. જળવાયુપરિવર્તનને કારણે સર્જાનારી આફતોને અટકાવવા આપણે અશ્મિભૂત બળતણોના વપરાશને તબક્કાવાર બંધ કરવાની અને વનનાબૂદીનો અંત લાવવા વાસ્તવિક યોજનાની જરૂર છે પણ કોપ૩૦માં આવી કોઇ યોજના રજૂ ન કરાઇ હોઇ આપણે સ્વીકારવું રહ્યું કે આપણે ધ્યેયથી દૂર જઇ રહ્યા છીએ.










