
– કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી
– ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળી, ઘરાકી ઘટતા મોંઘા ભાવના શાકભાજી પડી રહેતા વેપારીઓ પરેશાન
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ આ વર્ષે આવક ઘટતા ભાવ આસમાનને આંબી ગયા છે.










