![]()
Indigo Airlines Flight Issue : દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોએ ક્રૂની અછત, ટેકનિકલ ખામી સહિત અનેક કારણોસર 200થી વધુ ફ્લાઈટો રદ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, બેંગલુરુ-મુંબઈ સહિત ઘણાં એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટો રદ થવા ઉપરાંત મોડી પડી છે. કંપનીએ કહ્યું છે કે, સંચાલક સ્ટાફની અછત હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટો રદ કરવી પડી : ઈન્ડિગો પ્રવક્તા
ઈન્ડિગો એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઘણા દિવસોથી ટેકનિકલ ખામીની સમસ્યા, એરપોર્ટ પર ભીડભાડ, સંચાલન સંબંધિત જરૂરિયાતોના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, જ્યારે કેટલીક ફ્લાઈટો રદ કરવી પડી છે. પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, ‘FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઈન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઈટો રદ અને વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘એરલાઈન્સ મંગળવાથી જ ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે અને હજુ પણ આ સ્થિતિ વધુ ખરાબ થઈ છે.’
એરલાઈન્સે અસુવિધા બદલ માફી માંગી
એરલાઈન્સે મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. એરલાઈન્સે કહ્યું છે કે, ‘અમે આગામી 48 કલાકમાં સંચાલનને સમયસર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય એક નિવેદનમાં તેણે સ્વિકાર્યું છે કે, છેલ્લા બે દિવસમાં આખા નેટવર્કમાં સંચાલન કામગીરીને અસર થઈ છે, જેની અમે મુસાફરોની માફી માંગી રહ્યા છીએ.’ ’ રિપોર્ટ મુજબ, એરલાઈન્સ આગામી 48 કલાકમાં કેટલીક ફ્લાઈટો રદ કરશે અથવા તો તેના સમયમાં ફેરફાર કરી શકે છે.
આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ
નવા નિયમના કારણે પણ ફ્લાઈટને અસર
એરલાઈન્સે કહ્યું કે, ‘નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાના મોસમના કારણે શેડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, ફ્લાઈટ સંચાલનમાં સમસ્યા અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા)ના નવા નિયમના કારણે સંચાલન કરવામાં અનેક પડકારો આવ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સ દૈનિક 2300 ફ્લાઈટોનું સંચાલન કરે છે.
FDTLનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ
ઉલ્લેખનિય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઈટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઈન્ડિગો સહિતની એરલાઈન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરીયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’










