
Raghuram Rajan: રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા 50% ટેરિફની પાછળ રશિયાથી ભારતની ક્રૂડ ખરીદીનો મુદ્દો નહતો. પરંતુ, મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી મુખ્ય કારણ હતું. તેમણે એ પણ કહ્યું કે, પાકિસ્તાને સારી ગેમ રમી. તેમની આ ટિપ્પણી 4 ડિસેમ્બરે યુનિવર્સિટી ઑફ જ્યૂરિખના યુબીએસ સેન્ટર ફોર ઇકોનોમિક્સ ઇન સોસાયટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
પાકિસ્તાને સાર્વજનિક રૂપે ટ્રમ્પનો આભાર માન્યો










