
– વેપારીઓ દ્વારા કલેકટરને રજુઆત કરાઈ
– દિવસ દરમિયાન અસંખ્ય વાહનો પસાર થતા હોય સતત ધૂળ ઉડતી હોવાથી વેપારીઓ પરેશાન
ધંધુકા : ધંધુકા શહેરમાં આવેલા આંબેડકર સ્ટેચ્યુથી શરૂ કરી અવાડા ચોક વિસ્તારથી જુની શાકમાર્કેટ રોડ સુધી દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાથી રોડની બંને સાઈડના દુકાનદારો, વેપારીઓ અને રહિશોના આરોગ્ય પર ખતરો રહે છે.
ધંધુકામાં આંબેડકર સ્ટેચ્યુથી શરૂ કરી અવાડા ચોક, જુની પાંજરાપોળના ડેલાથી મુખ્ય શાકમાર્કેટ ના સમગ્ર રોડ પરની બંને સાઈડ કીરાણા, શાકભાજી, સ્ટેશનરી અને ફ્રુટના છુટક વેપારીઓની દુકાનો આવેલ છે.આ રોડ પર દિવસ દરમિયાન અસંખ્ય વાહનો, છકડા વગેરે વાહનોની અવરજવરથી અને પવનથી પારાવાર ધૂળ ઉડે છે.










