![]()
વડોદરા : સોમવારે બદલાયેલા હવામાન અને દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસની ગંભીર
સ્થિતિના કારણે વડોદરા એરપોર્ટથી સંચાલિત થતી અનેક ફ્લાઇટ્સને આજે અસર થઈ હતી.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે દિલ્હી-વડોદરા-દિલ્હી રૃટની મુખ્યત્વે એર
ઇન્ડિયા અને ઇન્ડિગોની કુલ ૬ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.
ખરાબ હવામાનને કારણે દિલ્હી-વડોદરા-દિલ્હી રૃટની પાંચ ફ્લાઇટ્સ
(એઆઇ ૧૭૦૧/૧૮૦૮,
૬ઈ ૫૧૩૧/૫૧૬૪,એઆઇ ૧૮૦૮) રદ કરવામાં આવી છે. આ
ઉપરાંત, પુણે-વડોદરા-પુણે રૃટની એક ઇન્ડિગો ફ્લાઇટ (૬ઈ
૬૨૪૧/૬૫૬૧) પણ આજે રદ કરાઈ છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
દિલ્હીથી વડોદરા આવનારી અને જનારી અન્ય બે ફ્લાઇટ્સમાં પણ ભારે વિલંબ
નોંધાયો હતો. ઇન્ડિગોની એક ફ્લાઇટ (૬ઈ ૫૦૬૬/૬૬૬૨) ૨ કલાક અને ૨૧ મિનિટ મોડી પડી
હતી, જ્યારે અન્ય એક ફ્લાઇટ (૬ઈ ૬૬૨૪/૬૬૨૫) ૩ કલાક અને ૫ મિનિટ જેટલો મોડો સમય
દર્શાવતી હતી. ફ્લાઇટ રદ થવા અને લાંબા વિલંબના કારણે મુસાફરી કરી રહેલા લોકોને
લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવાની ફરજ પડી હતી. જ્યારે ફ્લાઇટ કેન્સલ થવાના
કારણે ૮૦૦થી વધુ મુસાફરોના મહત્વના કામો આજે અટવાયા હતા.










