Jamnagar Suicide Case : મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના 24 વર્ષના યુવાને જામજોધપુરના વાડી વિસ્તારમાં આવીને એક ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ રાઇટર બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા કરસનભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને પોરબંદરની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને તેણીની સાથે રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ તાજેતરમાં તે પ્રેમિકા પોતાને તરછોડીએ ફરીથી પોતાના પૂર્વ પતિ સાથે રહેવા ચાલી ગઈ હતી. તેથી પોતાની પ્રેમિકાના વિયોગમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.