
– પુત્રીને સંપત્તિમાં હિસ્સો ન આપવાના પિતાના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો
– માન્ય વસીયતનામામાં દખલ ના દઇ શકાય, સંપત્તિના માલિકની ઇચ્છા સમાનતાના અધિકાર કરતા નાની નથી : સુપ્રીમ
નવી દિલ્હી : અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ પુત્રીને પિતાએ સંપત્તિમાંથી કાઢી મુકી હતી. બાદમાં પુત્રી પિતાની સંપત્તિમાં અધિકાર માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પિતાના સમર્થનમાં ચુકાદો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે વસીયતનામુ કરનારાની મરજી સમાનતાના અધિકાર કરતા વધુ પ્રબળ જણાય છે. માટે પિતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવે છે.










