
શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી કેનાલ પાસે આવેલી લક્ષ્મીધામસોસાયટી ખાતે આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા. રહીશોએ ઢોલ-નગારા વગાડી સ્માર્ટ સિટી સંબંધિત બેનરો દર્શાવી મ્યુ. કોર્પોરેશન વિરુદ્ધ ખોટા વાયદા અને વચન બંધ કરો જેવા સૂત્રોચાર કર્યા હતા.
શહેરના વોર્ડ નંબર ૮માં આવેલી લક્ષ્મીધામ સોસાયટી, નમ્રતા સોસાયટી, પરિસીમા સોસાયટી, અમર પાર્ક, કુંજ રેસીડેન્સી, જગન્નાથપુરમ, કાશી વિશ્વનાથ, સરસ્વતી અને ઉમિયા નગર સોસાયટીની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલના કાચા કાંસમાં ઘણા વર્ષોથી ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહેતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રાત્રે અસહ્ય દુર્ગંધ સાથે મચ્છરોનો ત્રાસ છે.










