
Andhra Pradesh Train Accident: ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં લાગેલી આ આગમાં બે ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.










