gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…
0
VIEWS
Share on FacebookShare on Twitter



2006થી 2018 દરમિયાન 8.04 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું એસીબીની તપાસમાં ખૂલ્યું હતું, ઇડીની મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી 

ધીરૂભાઇ શર્માના જલાશ્રમ રિસોર્ટ, ખેતીની જમીન, મકાન, દુકાન સહિતની મિલકત જપ્ત : જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લીધેલી લોનની ભરપાઇમાં ગોટાળા કર્યાનું ઇડીની તપાસમાં ખૂલ્યું 

નડિયાદ: અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદના તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૪.૯૨ કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં નડિયાદમાં આવેલો જલાશ્રય રિસોર્ટ, ખેતીની જમીન, રહેણાંક મકાન અને કોમશયલ દુકાનનો સમાવેશ થાય છે. હાલ નિવૃત જીવન જીવી રહેલા ધીરુભાઈ શર્મા વિરુદ્ધ આ કાર્યવાહી આણંદ એસીબી દ્વારા નોંધવામાં આવેલા અપ્રમાણસર મિલકતના કેસ અને તેના અહેવાલના આધારે કરવામાં આવી છે.

આ કેસમાં નડિયાદ કનેક્શન અને જલાશ્રય રિસોર્ટ મુખ્ય કેન્દ્રમાં છે. વર્ષ ૨૦૧૨માં ધીરુભાઈ શર્માના પત્ની અને પુત્ર મયંક શર્મા દ્વારા સ્થાપિત આ રિસોર્ટનો સંપૂર્ણ વહીવટ મયંક શર્મા સંભાળતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બે વર્ષ પહેલા આ જલાશ્રય રિસોર્ટ પર એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે તે સમયે ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું કે, શર્માએ ૧.૦૪.૨૦૦૬થી ૩૧.૦૩.૨૦૧૮ના સમયગાળા દરમિયાન પોતાની આવકના જાણીતા સ્ત્રોત કરતા ૩૫૪.૫૬ ટકા વધુ એટલે કે, ૮.૦૪ કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ અહેવાલના આધારે જ ઈડીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઈડીની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ધીરુભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની મેસર્સ જલાશય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લેવામાં આવેલી લોનની ભરપાઈ કરવા માટે શંકાસ્પદ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોનની પરત ચુકવણી માટે બેંક ખાતાઓમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ રકમ તાત્કાલિક કૃષ્ણા ફાઇનાન્સમાં લોન પેમેન્ટ તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પરંપરાગત બેંકિંગ માધ્યમોને બદલે સીધી રોકડ જમા કરાવીને નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જલાશ્રય રિસોર્ટના વિકાસ માટે વર્ષ ૨૦૦૭માં ૫.૪૦ લાખમાં ખરીદાયેલી ૫૨ ગુંઠા જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં ૫.૫૦ કરોડની સિક્યોર્ડ લોન લેવામાં આવી હતી, જે વર્ષ ૨૦૧૮માં વધીને ૭.૮૫ કરોડ થઈ હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ૨૦૧૫થી ૨૦૨૦ના ગાળામાં રિસોર્ટના કામકાજ માટે પરિવાર દ્વારા ૧.૧૯ કરોડની અનસિક્યોર્ડ લોન પણ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, શર્માએ પોતાના અને પરિવારના નામે લીધેલી વીમા પોલિસીઓના પ્રીમિયમ પણ રોકડમાં ભરીને મની લોન્ડરિંગનો આશરો લીધો હતો. હાલમાં આ મિલકતો જપ્ત કરીને તપાસ એજન્સી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

– વિવાદીત જલાશ્રય રિસોર્ટનો સંપૂર્ણ ઘટનાક્રમ

૦૧ એપ્રિલ ૨૦૦૬ : એસીબી દ્વારા નિર્ધારિત ‘ચેક પીરિયડ’ શરૂ થયો. તપાસ સંસ્થાએ આ તારીખથી જ ધીરુભાઈ શર્માની આથક આવક-જાવકનું ઓડિટ કરવાનું નક્કી કર્યું હતું.

૧૨ મે ૨૦૧૪ : નડિયાદમાં ‘જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ’ની સ્થાપના થઈ. મયંકકુમાર શર્મા અને શોભનાબેન શર્માને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે નિયુક્ત કરાયા.

૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ : કંપનીની છેલ્લી અધિકૃત વાષક સામાન્ય સભા યોજાઈ હતી. તપાસ મુજબ, આ સમય બાદ કંપનીના નાણાકીય દસ્તાવેજોમાં પારદશતા ઘટી હતી.

૩૧ માર્ચ ૨૦૧૮ : એસીબીના ૧૨ વર્ષના તપાસ સમયગાળાનો અંત આવ્યો. આ ગાળા દરમિયાન થયેલી કુલ કમાણી અને ખર્ચના અંતે ૮.૦૪ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું.

જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૦ : આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ધીરુભાઈ શર્મા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી. તેમાં પીસી એક્ટની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(૨)નો ઉમેરો કરાયો.

વર્ષ ૨૦૨૧ (પ્રારંભિક માસ) : ભ્રષ્ટાચારના નાણાંથી મિલકત ખરીદવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ સમાંતર તપાસ શરૂ કરવામાં આવી.

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરતા ૪.૯૨ કરોડનીની સ્થાવર મિલકતો (જેમાં જલાશ્રય રિસોર્ટ, દુકાનો અને જમીનનો સમાવેશ થાય છે) કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી.

વર્ષ ૨૦૨૨ – ૨૦૨૩ : આરોપીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અને ઈડીની જપ્તી સામે કાયદાકીય રક્ષણ મેળવવા કોર્ટમાં દાદ માંગવામાં આવી, જેની કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહી.

વર્ષ ૨૦૨૫ (વર્તમાન સ્થિતિ : ઈ.ડી. દ્વારા જપ્ત કરાયેલી ૪.૯૨ કરોડની મિલકતોને એડજ્યુડિકેટિંગ ઓથોરિટી દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે અને તમામ મિલકતો સરકારના ટાંચ હેઠળ છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા
GUJARAT

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા

May 14, 2026
શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર મનીષા સહિતના આરોપી 3 …
GUJARAT

શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર મનીષા સહિતના આરોપી 3 …

May 14, 2026
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે

May 14, 2026
Next Post
ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP…

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP...

તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa…

તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

5 months ago
ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

6 months ago
ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

9 months ago
પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

5 months ago
ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

6 months ago
ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

9 months ago
પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News