
વિકસીત ભારત માટે આરએસએસ ચીફનું વિઝન
ભાગવતના મતે ધર્મના માર્ગદર્શન હેઠળ જ ભારત સામાજિક એકતા અને વૈશ્વિક નેતાગીરી હાંસલ કરી શકે
છત્રપતિ સંભાજીનગર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે જાતિ ભેદભાવ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે લોકોના મનમાંથી જાતિવાદ નીકળી જાય. આરએસએસ શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે આયોજિત જન સંગોષ્ઠિમાં બોલતા તેમણે કહ્યું કે જાતિ મૂળ રીતે વ્યવસાય અને કાર્ય સાથે જોડાયેલી હતી, પરંતુ સમય જતાં તે જડ અને ભેદભાવપૂર્ણ બની ગઈ. ભાગવતે સમાજને જાતિ આધારીત વિચારસરણીને સભાનપણે નકારવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિષ્ઠાવાન પ્રયાસ કરવામાં આવે તો દસથી બાર વર્ષમાં ભેદભાવનો અંત આવી શકે.










