અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ટૂંક સમય પહેલા જ JEE ના પરિણામો જાહેર થયા જેમાં અમદાવાદની સાનવી પાટીદારે એક કીર્તિમાન સ્થાપિત કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
નારાયણા અમદાવાદ JEE મેઈન 2026 સેશન-1માં અભ્યાસ કરી રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારએ કીર્તિમાન સ્થાપિત કર્યો છે જે ગુજરાત માટે ગર્વની ક્ષણ કહી શકાય..
નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અમદાવાદે JEE મેઈન 2026 સેશન-1 ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે.જેમાં અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું છે.તુષાર પારેખ ઝોનલ ડાયરેક્ટર ગુજરાતએ જણાવ્યું હતું કે સાન્વી પાટીદાર 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી City Rank-1 હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ ઉપરાંત આ જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ 99.9+, 25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ અને 36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સંસ્થા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને કેક કાપી આ આનંદની ઉજવણી કરી હતી. તો વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમને આપેલ જ્ઞાનના ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જ્યારે ટોપર આવનાર સાનવી પાટીદારે પોતાના આવેલ પરિણામ પાછળ સંસ્થાનો અભ્યાસ અને જ્ઞાન આપનાર શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપ્યો હતો. આમ જોવા જઈએ તો સાનવી દેશભરમાં આશરે 5 રાજ્યમાં આ સંસ્થા તરફથી ટોપ 5 માં ઉત્તીર્ણ થયા છે. જ્યારે સાનવી અમદાવાદ સેન્ટર ખાતેથી ગુજરાત ગર્લ્સમાં ટોપર અને અમદાવાદમાં પ્રથમ રેન્ક પર ઉત્તીર્ણ થઈ છે.










