![]()
PM SVANidhi credit card: કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેના હેઠળ લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આવી જ એક યોજના પીએમ સ્વનિધિ છે. આ યોજના હેઠળ સરકાર ક્રેડિટ કાર્ડ આપે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
શું છે પીએમ સ્વનિધિ યોજના?
પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કોરોના મહામારી દરમિયાન થઈ હતી. આ યોજનાનો હેતુ મહામારી દરમિયાન ઊભા થયેલા આર્થિક સંકટોમાંથી બહાર આવવા તથા અસરગ્રસ્ત વ્યવસાયોને ફરી શરૂ કરવામાં શેરી વિક્રેતાઓની મદદ કરવાનો હતો. તમને જણાવી દઈએ કે, આ યોજના માટે લોનનો સમયગાળો 31 માર્ચ, 2030 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ યોજના માટે કુલ ખર્ચ 7,332 કરોડ છે. પુનર્ગઠિત યોજના હેઠળ 1.15 કરોડ લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
કેટલા રૂપિયા સુધીની મળે છે લોન?
યોજનાના પ્રથમ તબક્કામાં શરૂઆતમાં 10,000 ની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે લોનની રકમ 10,000 થી વધારીને 15,000 કરી દેવામાં આવી છે. બીજી તરફ બીજા તબક્કાની લોનની રકમ 20,000થી વધારીને 25,000 કરી દેવામાં આવી છે, જ્યારે ત્રીજા તબક્કાની લોનની રકમ 50,000 કરવામાં આવી છે. UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ શેરી વિક્રેતાઓને અણધાર્યા વ્યવસાયિક અથવા વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તાત્કાલિક લોન આપશે. નિયમિત વેચાણ પર મહત્તમ 1,200નું કેશબેક મળે છે. 2,000 કે તેથી વધુની જથ્થાબંધ ખરીદી પર મહત્તમ 400નું કેશબેક મળે છે.
PM મોદીએ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો હતો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો હતો. સરકાર પીએમ સ્વનિધિ યોજનાના એ લાભાર્થીઓને UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ આપે છે જેમણે પોતાની બીજી લોન સમયસર ચૂકવી દીધી છે. આ ક્રેડિટ કાર્ડ શેરી વિક્રેતાઓને તાત્કાલિક લોનની સુવિધા આપે છે, જેનાથી તેમને પોતાના વ્યવસાય અને વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. પાત્ર શેરી વિક્રેતાઓ પીએમ સ્વનિધિ (PMS) પોર્ટલ અથવા PMS મોબાઈલ એપ્લિકેશન પર PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો: દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM
રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા
તમને જણાવી દઈએ કે, પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની પહેલ છે, પરંતુ રાજ્ય સરકારો, બેંકો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની તેના અસરકારક અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકાછે. રાજ્ય સરકારો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ શેરી વિક્રેતાઓને ઓળખવામાં, લોન પ્રક્રિયાને સરળ બનાવવામાં અને તેમને કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવામાં ફાળો આપે છે. બેંકો લોનનું વિતરણ, વ્યાજ સબસિડી પ્રક્રિયાઓને સમયસર પૂર્ણ કરીને ડિજિટલ વ્યવહારોને પણ પ્રોત્સાહિત કરે છે.










