![]()
– કહેવાતા સ્થાનિક રાજકારણીઓ સ્થાનિક છાત્રોના ભવિષ્ય માટે વિચારે
– બન્નેમાં સમાન કાર્યો રાખી સીટ ઘટાડાનું રાજકારણ : નવા કોર્ષ અને ફેકલ્ટી આપી ઉચ્ચ શિક્ષણને નવી ઉર્જા આપવી જરૂરી
ભાવનગર : એન્જિનીયરીંગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ બ્રાંચો છે પરંતુ ભાવનગરમાં બે સરકારી કોલેજો હોવા છતાં સમાન કોર્ષ વર્ષોથી ચલાવાય છે. નવીનતા જાણે મરી પરવારી છે. કહેવાતા રાજકીય આગેવાનો પણ આ બાબતે જાણે અજાણ છે. આ ઉપરાંત જે કોલેજો છે. તેની સીટો પણ ઘટી રહી છે અને સુવિધામાં પણ ઘટાડો થતો હોય જે બાબતે તાજેતરમાં મળેલ રીસ્ટ્રક્યરીંગની મીટીગમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા જાગી છે.
ગુજરાતમાં કુલ ૧૬ સરકારી ઈજનેરી કોલેજો કાર્યરત છે. જેની ફેકલ્ટી પણ તબક્કાવાર બદલાતી રહે છે. વર્ષોથી એક સમાન ચાલતા કોર્ષમાં બદલાવ આવ્યો છે. તેનો લાભ ભાવનગર સ્થિત બન્ને કોલેજોને મળતો નથી. ઉલ્ટા શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં મિકેનીકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ બ્રાંચની સીટો ફીઝ કરવાની કે બ્રાંચ બંધ કરવા તરફની પ્રક્રિયા થાય છે. શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં સીવીલ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, આઈટી, હાલ ચાર બ્રાંચ કાર્યરત છે. જ્યારે આઈસી બંધ છે. તો ઘણી સીટો ફીઝ કરી શીપટ કરવાની પ્રવૃત્તી થાય છે. તો બીજી સરકારી કોલેજ જીઈસી છે જ્યાં હાલ સિવીલ, મીકેનિકલ, ઈન્ફરમેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રીકલ, બ્રાંચ કોમન છે. વધારામાં આઈ.ટી.સી. અને કોમ્પ્યુટર એન્જિનીયરીંગ મળી કુલ છ બ્રાંચ છે. આમ એક જ શહેરમાં બે કોલેજ અને તેમાં પણ સમાન બ્રાંચથી વિદ્યાર્થીઓને તે સિવાયના કોર્ષ માટે બહારગામ કે ખાનગીનો આશરો લેવો પડી રહ્યો છે. જેમાં પરિવર્તનની લાંબા સમયની જરૂર છે. પરંતુ સ્થાનિક રાજકીય ાગેવાનો ભલે રાજ્ય કે કેન્દ્ર સુધી પ્રતિનિધિત્વ દરાવતા હોય પરંતુ આ બાબતે કદી અવાજ ઉઠાવતા નથી. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ એન્જિનિયરીંગ ક્ષેત્રે રીસ્ટ્રકચરીંગની બેઠક મળી હતી અને ગુજરાતમાં ૨૬૬૨ સીટી વધારવાની જાહેરાત થઈ છે. પરંતુ આ સીટો વધારવાની સાથો સાથ નવી બ્રાંચો પણ વધારવી જરૂરી છે. જેમાં ભાવનગરને સ્થાન મળે તે આવશ્યક છે. આગામી સમયમાં ધોલેરાસરના પ્રોજેક્ટ આકાર લેવાનો છે. જ્યારે એ.આઈ. અને મશીન લર્નિંગ અને રોબોટીક્સ બ્રાંચને પણ શરૂ કરી શકાય. ઉપરાંત આ સિવાયના હાલ રન કરતા નવા કોર્ષ પણ ભાવનગર માટે આપી શકાય જેથી વિદ્યાર્થીઓને પણ ચોઈસ મળે અને બહાર જુવાન પડે. પરંતુ વર્ષોથી બીબાઢાળ પ્રમાણે બ્રાંચો ચાલે તે કેટલું યોગ્ય? શાંતિલાલ શાહ કોલેજમાં સિનિયર ફેકલ્ટી ભરવામાં પણ જવાબદારોનું ઓરમાયુ વર્તન રહે છે. વહીવટીમાં એકાઉન્ટ કે વહીવટી અધિકારી નથી લેબ આસીસ્ટન્ટ નથી. લાયબ્રેરીયન નથી જે તમામ કોલેજોમાં નથી જેનું યોગ્ય બેલેન્સ રાખવાની જવાબદારી સરકારની છે. રીસ્ટ્રકચરીંગની બેઠક મળી છે પણ ઠરાવ હજુ બહાર નથી આવ્યો ત્યારે નિર્ણયો વ્યાજબી કારણો જાણી અને ભાવનગર અને તેના વિદ્યાર્થી હીતોને ધ્યાને રાખી યોગ્ય લેવાય તેવું વિદ્યાર્થી વર્ગ ઈચ્છી રહ્યો છે.










