![]()
Jamnagar : જામનગરમાં જુના જકાતનાકા વિસ્તારમાં રહેતો અમૃતલાલ વાલજીભાઈ સિહોરા નામનો 38 વર્ષનો યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી રખડતું ભટકું જીવન ગુજારતો હતો, અને રસ્તા પર સૂઈ જતો હતો. દરમિયાન તેણે ગત તા 6.3.2026 ના રોજ પોતાના મકાનની ઓરડીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે ખેતીવાડી ફાર્મ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા પાલાભાઈ આલાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતક યુવાનનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.










